રિપોટર કિશન પ્રજાપતિ
જસદણમાં પવિત્ર પરસોતમ માસ દરમિયાન ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગોપી મંડળ દ્વારા રોજિંદા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકોની મહિલાઓ અને ભક્તો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલા ‘નંદ ભૈયા’ ઉત્સવે સમગ્ર મંદિર પરિસરને કૃષ્ણમય બનાવી દીધું હતું.
જસદણના પંચમુખી હનુમાનજી મંદિરે ગોપી મંડળ દ્વારા પરસોતમ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોની વિશેષ શ્રેણી શરૂ કરવામાં આવી છે. મંદિર પરિસરમાં રોજ ભજન-કીર્તન, સત્સંગ, આરતી અને વિવિધ ધાર્મિક આયોજનો થકી ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.અગિયારસ નિમિત્તે રાત્રિ જાગરણનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ આખી રાત ભજન-કીર્તન સાથે જાગરણમાં ભાગ લીધો હતો. સાથે જ રાસ-ગરબાની રમઝટ પણ જામી હતી, જેમાં યુવતીઓ અને મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી.
Tags:
jasdan